હે પાંડવ ! જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેરરહિત હોય છે, તે મને પામે છે. (૫૫)
ભાવાર્થ:
ભગવાન ભક્તની ઈચ્છા મુજબનું રૂપ ધારણ કરે છે. તુલસીદાસે કહ્યું કે -
કીત મુરલી કીત ચંદ્રિકા, કીત ગોપીયનકો સાથ
પરંતુ મને તો આપનું ધનુષ્યબાણધારી રૂપ વધારે ગમે છે. તો પરમાત્માએ ભક્તને રાજી કરવા માટે તેની માંગણી મુજબનું -
તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્યબાણ લ્યો હાથ
ધનુષ્યબાણધારી રૂપ ધારણ કર્યું. આમાં પરમાત્માની કરુણા - ભક્તવત્સલતા - ભક્તાધીનપણાનું દર્શન છે.
સાધક અને ભક્તમાં આટલો ફરક છે. સાધક કહે છે કે, "હે પ્રભુ ! તુ જેવો છું તેવો હું તને સ્વીકારું છું.
યાદૃશોઽસિ જગન્નાથ તાદૃશાય નમોનમઃ |
હું બદલાઈશ. તને બદલાવવાનું નહીં કહું. આ સંકલ્પનો માર્ગ છે.
જયારે ભક્ત કહે છે કે - મને ગમે તેવી જાતનું રૂપ તમે ધારણ કરો. હું તો જેવો છું તેવો જ રહીશ અને એવા એવા જેવા તેવાનું મારુ તમે રક્ષણ કરો.
યાદૃશોઽસ્મિ જગન્નાથ તાદૃશાય ચ પાહિ મામ
મારુ એટલું બધું સામર્થ્ય નથી કે હું મારી જાતે બદલાઈ શકું.
જેવો તેવો પણ તારો - હાથ પકડ પ્રભુ મારો (પુનિત)
આ શરણાગતિનો માર્ગ છે.
ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપદર્શનયોગો નામ એકાદશો અધ્યાયઃ |