Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

શ્રીભગવાનુવાચ ।
કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ।
ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ ॥ ૩૨॥

કાલ: અસ્મિ લોકક્ષયકૃત્ પ્રવૃદ્ધ: લોકાન્ સમાહર્તુમ્ ઈહ પ્રવૃત્તઃ ।

ઋતે અપિ ત્વામ્ ન ભવિષ્યન્તિ સર્વે યે અવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ

શ્રી ભગવાન બોલ્યા :

ત્વામ્ ઋતે અપિ - તારા માર્યા વિના પણ

પ્રત્યનીકેષુ - દરેક સેનામાં

અવસ્થિતાઃ - રહેલા

યે - જે

યોધાઃ - યોદ્ધાઓ (છે)

સર્વે - (તે) બધા

ન ભવિષ્યન્તિ - રહેશે નહીં.

લોકક્ષયકૃત્ - લોકોનો નાશ કરનારો

પ્રવૃદ્ધ: - અતિ ઉગ્ર

કાલ: - મહાકાલ હું

અસ્મિ - છું (અને)

ઈહ - આ સમયે

લોકાન્ - આ લોકોનો

સમાહર્તુમ્ - સંહાર કરનાર

પ્રવૃત્તઃ - પ્રવૃત થયેલો છું

હું લોકોનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું. અને લોકોનો સંહાર કરવા અહીં પ્રવૃત થયો છું. તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઉભા છે, તેઓ તારા વિના પણ રહેશે નહીં; અર્થાત તું લડશે નહીં, તો પણ નાશ પામશે (૩૨)