Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અનેકબાહૂદરવક્ત્રનેત્રં પશ્યામિ ત્વાં સર્વતોઽનન્તરૂપમ્ ।
નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિં પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ ॥ ૧૬॥

અનેક બાહૂ ઉદર વક્ત્રનેત્રમ્ પશ્યામિ ત્વામ્ સર્વત: અનન્તરૂપમ્

ન અન્તમ્ ન મધ્યમ્ ન પુન: તવ આદિમ્ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ

પુન: - વળી

તવ - આપના

અન્તમ્ - અંતને

ન - (જોતો) નથી

મધ્યમ્ - મધ્યને

ન - (જોતો) નથી

આદિમ્ - (તેમ) આદિને (પણ)

પશ્યામિ - હું જોતો નથી.

વિશ્વેશ્વર - હે વિશ્વના સ્વામી !

વિશ્વરૂપ - હે વિશ્વરૂપ !

અનન્તરૂપમ્ - અનંત રૃપોવાળા

બાહૂદર વક્ત્રનેત્રમ્ - અનેક હાથ, પેટ, મુખ અને નેત્રોવાળા

ત્વામ્ - આપને

સર્વત: - સઘળે ઠેકાણે

પશ્યામિ - હું જોઉં છું.

હે વિશ્વના ઈશ્વર ! આપને અનેક બાહુ, અનેક પેટ, અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વ તરફ અનંત રૂપવાળા હું જોઉં છું. હે વિશ્વરૂપ! આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. (૧૬)