Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા ।
ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્ ॥ ૨॥

ભવાપ્યયૌ હિ ભૂતાનામ્ શ્રુતૌ વિસ્તરશ: મયા

ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમ્ અપિ ચ અવ્યયમ્

શ્રુતૌ - સાંભળ્યા

ચ - અને

અવ્યયમ્ - નિર્વિકાર સ્વરૂપ

માહાત્મ્યમ્ - (સગુણરૂપ આપનો) મહિમા

અપિ - પણ (સાંભળ્યો)

કમલપત્રાક્ષ - કમળ જેવા નેત્રવાળા

મયા - મેં

ત્વત્તઃ હિ - આપનાથી જ

ભૂતાનામ્ - પ્રાણીઓના

ભવાપ્યયૌ - ઉત્ત્પત્તિ અને નાશ

વિસ્તરશ: - વિસ્તારપૂર્વક

કેમ કે હે કમળની પાંખડી જેવા નેત્રવાળા ! ભૂતોની ઉત્પત્તિ અને નાશ મેં વિસ્તારથી આપની પાસેથી સાંભળ્યા; તેમ જ આપણું અવિનાશી માહાત્મ્ય પણ સાંભળ્યું. (૨)

ભાવાર્થ:

ભવાપ્યયૌ

જગતની તથા ભૂતોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું તથા પરમાત્માના માહાત્મ્યનું અનેક પ્રકારે વર્ણન ગીતા - ૭/૪ થી ૭/૧૪, ૮/૧૮ થી ૮/૨૨, ૯/૪ થી ૯/૧૦, ૧૦/૨ થી ૧૦/૧૧ વગેરે ઘણી જગ્યાએ કરેલું છે.