Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અદૃષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે ।
તદેવ મે દર્શય દેવરૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥ ૪૫॥

અદૃષ્ટપૂર્વમ્ હૃષિત: અસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતમ્ મન: મે

તત્ એવ મે દર્શય દેવ રૂપમ્ પ્રસીદ દેવેશ જગન્નિવાસ

પ્રવ્યથિતમ્ - અતિ વ્યાકુળ થયું છે (માટે)

દેવેશ - હે દેવેશ !

જગન્નિવાસ - હે જગન્નિવાસ !

પ્રસીદ - પ્રસન્ન થાઓ (અને)

મે - મને

તત્ - તે (ચતુર્ભુજ)

રૂપમ્ એવ - રૂપનું જ

દર્શય - દર્શન કરાવો

અદૃષ્ટપૂર્વમ્ - પહેલા ન જોયેલા આપના આ વિશ્વરૂપને

દૃષ્ટ્વા - જોઈ

હૃષિત: અસ્મિ - હર્ષિત થયો છું.

ચ - તથા

ભયેન - ભયથી

મે - મારુ

મન: - મન

પૂર્વે નહીં જોયેલું (આપનું આ સ્વરૂપ) જોઈ હું હર્ષ પામ્યો છું. તેમ જ ભયથી મારુ મન ઘણું ગભરાયું છે; માટે હે દેવ ! મને તે (પૂર્વનું) જ રૂપ આપ દેખાડો. હે દેવોના ઈશ્વર ! હે જગન્નિવાસ ! પ્રસન્ન થાઓ. (૪૫)