Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણસ્ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।
વેત્તાસિ વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતં વિશ્વમનન્તરૂપ ॥ ૩૮॥

ત્વમ્ આદિદેવઃ પુરુષઃ પુરાણ: ત્વમ્ અસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્

વેત્તા અસિ વેદ્યમ્ ચ પરમ્ ચ ધામ ત્વયા તતમ્ વિશ્વમ્ અનન્તરૂપ

ચ - તથા

વેત્તા - સર્વજ્ઞ

વેદ્યમ્ - જાણવા યોગ્ય

ચ - અને

પરમ્ - પરમ

ધામ - ધામરૂપ

અસિ - છો;

ત્વયા - આપનાથી

વિશ્વમ્ - (સઘળું) જગત

તતમ્ - પરિપૂર્ણ છે.

અનન્ત રૂપ - હે અનંત રૂપોવાળા !

ત્વમ્ - આપ

આદિદેવઃ - આદિદેવ (અને)

પુરાણ: - પુરાણ

પુરુષઃ - પુરુષ છો

ત્વમ્ - આપ

અસ્ય - આ

વિશ્વસ્ય - જગતના

પરમ્ - પરમ

નિધાનમ્ - આશ્રય

આપ આદિદેવ પુરાણ પુરુષ છો અને આ વિશ્વનું પરમ આશ્રયસ્થાન છો; આપ જાણનાર તથા જાણવાયોગ્ય પરમ ધામ છો. અનંત રૂપોવાળા ! આપ વડે વિશ્વ વ્યાપ્ત છે. (૩૮)