Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

મા તે વ્યથા મા ચ વિમૂઢભાવો દૃષ્ટ્વા રૂપં ઘોરમીદૃઙ્મમેદમ્ ।
વ્યપેતભીઃ પ્રીતમનાઃ પુનસ્ત્વં તદેવ મે રૂપમિદં પ્રપશ્ય ॥ ૪૯॥

મા તે વ્યથા મા ચ વિમૂઢભાવ: દૃષ્ટ્વા રૂપમ્ ઘોરમ્ ઈદૃક મમ્ ઈદમ્

વ્યપેતભીઃ પ્રીતમનાઃ પુન: ત્વમ્ તત્ એવ મે રૂપમ્ ઈદમ્ પ્રપશ્ય

માટે :-

મા - ન થાઓ (પરંતુ)

વ્યપેતભીઃ - ભયરહિત

પ્રીતમનાઃ - પ્રસન્ન મનવાળો થઈને

ત્વમ્ - તું

પુન: - ફરી

તત્ એવ - તે જ

મે - મારા

રૂપમ્ - રૂપને

ઈદમ્ - આ (ચતુર્ભુજ)

પ્રપશ્ય - જો.

ઈદૃક - આવું

મમ્ - મારુ

ઈદમ્ - આ

ઘોરમ્ - ભયંકર

રૂપમ્ - રૂપ

દૃષ્ટ્વા - જોઈ

તે - તને

મા વ્યથા - પીડા ના થાઓ

ચ - તથા

વિમૂઢભાવ: - વ્યાકુળતા (પણ)

આવું આ મારુ વિકરાળ રૂપ જોઈ તને દુઃખ ના થાઓ અને અતિ મૂઢ ભાવ ના થાઓ. તું ભયરહિત અને પ્રસન્ન મનવાળો થઇ મારુ તે જ આ રૂપ સારી રીતે જો. (૪૯)

ભાવાર્થ

પરમાત્માનું વિકરાળ રૂપ જોઈને અર્જુનને વ્યાકુળતા ના થાય અને મૂઢભાવ ના આવે એટલા માટે તેને ભયરહિત પ્રીતિયુક્ત મનવાળો કરવા માટે પરમાત્માએ શંખ - ચક્ર - ગદા - પદ્મધારી સગુણ સાકાર ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું જેથી અર્જુનને રાહત શાંત્વના મળે.

વિરાટનો અને વ્યક્તિનો સંબધ મા - બેટા જેવો છે. બાપ - બેટા જેવો નથી. આપણે વિરાટ (પ્રકૃતિ)માંથી પેદા થયા છીએ અને તેની જ લહેરો - તરંગો છીએ. અને તેનાથી જ આપનું વ્યક્તિત્વ છે. ગર્ભમાં બાળક પોતાનો શ્વાસ પણ નથી લેતું. માથી જ તે જીવે છે. માનો પ્રાણ એનો પ્રાણ છે. મા - બેટાનો સંબંધ છે તેવો જ અસ્તિત્વનો આપણી સાથે સંબંધ છે. પ્રકૃતિ (અસ્તિત્વ - વિરાટ) આપણને દુઃખી કરવા માંગતી નથી. જીવન (પ્રકૃતિ) તો આપણને પુરી સુવિધા - અવસર - સામર્થ્ય આપે છે. પરંતુ આપણે દુઃખી થઈએ છીએ તે આપણી ગરબડ છે. અર્જુનની ખરા હૃદયની માંગણી કૃષ્ણે સાકાર રૂપ ધરીને પૂર્ણ કરી.