Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

શ્રીભગવાનુવાચ ।
પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ ।
નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ॥ ૫॥

પશ્ય મે પાર્થ રૂપાણિ શતશ: અથ સહસ્રશઃ

નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ

શ્રી ભગવાન બોલ્યા:

અથ - તથા

સહસ્રશઃ - હજારો

મે - મારા

દિવ્યાનિ - અલૌકિક

રૂપાણિ - રૂપોને

પશ્ય - તું જો

પાર્થ - હે પાર્થ !

નાનાવર્ણાકૃતીનિ - અનેક વર્ણ તથા અનેક આકારવાળા

ચ - અને

નાનાવિધાનિ - બહુ પ્રકારના

શતશ: - સેંકડો

હે પાર્થ ! મારા અનેક પ્રકારના તથા અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. (૫)

ભાવાર્થ

નાનાવિધાનિ એટલે કે દેવ - મનુષ્ય - તિર્યક આદિ સમસ્ત ચરાચર જીવો આ દિવ્યાનિ એટલે કે મારા શરીરમાં દેખાતા આ ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય તમામ રૂપો દિવ્ય છે. "નાના વર્ણાનિ આકૃતીનિ ચ" તમામ રૂપોના આકારોના વર્ણ, રંગ અને અંગોની બનાવટ પૃથક પૃથક અનેક પ્રકારની છે.