Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ।
ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ ॥૮॥

અહં સર્વસ્ય પ્રભવ: મત્તઃ સર્વમ્ પ્રવર્તતે

ઇતિ મત્વા ભજન્તે મામ્ બુધા: ભાવસમન્વિતાઃ

ઇતિ - એ પ્રકારે

મત્વા - સમજીને

બુધા: - બુદ્ધિમાન પુરુષો

ભાવસમન્વિતાઃ - પ્રેમભાવ યુક્ત થઈને

મામ્ - મને (જ)

ભજન્તે - ભજે છે.

અહં - હું

સર્વસ્ય - સર્વનું

પ્રભવ: - ઉત્પત્તિ કારણ છું.

મત્તઃ - મારાથી જ

સર્વમ્ - સર્વ જગત

પ્રવર્તતે - ચાલે છે.

હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પવર્તે છે, એમ સમજીને પંડિતો શ્રદ્ધાયુક્ત થઇ મને ભજે છે. (૮)

ભાવાર્થ:

સર્વ જગતનું હું જ નિમિત્ત અને ઉપાદાન કારણ છું.

અભિન્ન નિમિત્તોપાદાન કારણ: ઈશ્વર:

યથોર્ણનાભિઃ સૃજતે ગૃહ્ણતે ચ, યથા પૃથિવ્યામોષધયઃ સંભવન્તિ।

યથા સતઃ પુરુષાત્ કેશલોમાનિ, તથાક્ષરાત્ સંભવતિ ઇહ વિશ્વમ્॥

ભગવાન આગળ કહે છે કે -

મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ ।

સમ્ભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૪/૩)

મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વ ભૂતોની યોનિ (ઉત્પત્તિસ્થાન) છે. તેમાં હું (ચેતનના અંશરૂપ) ગર્ભ મુકું છું. તેનાથી સર્વ ભૂતોની (becomings) ઉત્પત્તિ થાય છે.

સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સમ્ભવન્તિ યાઃ ।

તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૪/૪)

સર્વ યોનિઓમાં જે શરીરો ઉત્પન્ન થાય છે તેઓનું ઉત્પત્તિસ્થાન મહદ્દબ્રહ્મપ્રકૃતિ છે અને હું (તેમાં) ચેતનનાં અંશરૂપ બીજ સ્થાપન કરનાર સર્વેનો પિતા છું.

બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્ ।

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૭/૧૦)

સર્વભૂતોનું સનાતન બીજ કારણ હું છું.

મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના । મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૯/૪)

સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ્ । કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૯/૭)

પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ । ભૂતગ્રામમિમં કૃત્સ્નમવશં પ્રકૃતેર્વશાત્ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૯/૮)

મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ । હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૯/૧૦)

પરમાત્મા કહે છે - મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે. સર્વ ભૂતો મારામાં રહેલા છે, પરંતુ હું તેઓમાં રહેલો નથી. (૪)

બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું. (૭)

મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને હું વારંવાર સર્જુ છું. (૮)

મારી અઘ્યક્ષતાને લીધે (under my supervision and control) પ્રકૃતિ જડ, ચેતન, સહિત જગતને ઉત્પન્ન કરે છે. આ કારણથી જગતનું ચક્ર ફર્યા કરે છે. (૧૦)

માનસ રામાયણમાં ભગવાન કહે છે -

ચો.

મમ માયા સંભવ સંસારા, જીવ ચરાચર વિવિધ પ્રકારા.

સબ મમ પ્રિય સબ મમ ઉપજાવા, સબ પર મોરી બરાબરી દાયા.

એહી બિધિ જીવ ચરાચર જેતે, ત્રિજગદેવ નર અસુર સમેતે.

અખિલ વિશ્વ યહ મોર ઉપાયા, સબતે અધિક મનુજ મોહી ભાવા.

ભાવ સમન્વિતાઃ ભજન્તે - મને ભાવપૂર્વક એટલે કે શ્રદ્ધાભક્તિથી યુક્ત થઈને ભજે છે.

શ્રદ્ધયા પરયોપેતા: તે મે યુક્ત્તમા: મતા:

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૨/૨)

ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવંવિધોઽર્જુન ।

જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરન્તપ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૧/૫૪)

ભગવાન કહે છે - જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઇ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું (૧૨/૨). હું સર્વ ભૂતોમાં સમાન છું. મારો (કોઈ) દ્વેષપાત્ર નથી કે પ્રિય નથી; તો પણ જેઓ મને ભક્તિ વડે જ ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું (૯/૨૯). માત્ર અનન્ય ભક્તિ વડે જ મને તત્ત્વે કરીને જાણી શકાય, મને જોઈ શકાય અને મારામાં પ્રવેશ કરી શકાય. અનન્યભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં (૧૧/૫૪).

માનસ રામાયણમાં ભગવાન બોલ્યા છે :

મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદગદ ગીરા નયન બહ નીરા.

એકલું શબ્દોમાં "રામ રામ" બોલવાનું નહીં. ભાવપૂર્વક શબ્દરહિત ભજન. રાત્રે આકાશમાં વાદળની ભયંકર ગર્જનાથી પણ જેની નીંદ તૂટે નહીં એવી ગાઢ નિદ્રામાં સૂતેલી માતા તેના પડખામાં સૂતેલું તેનું નાનું બાળક જરાક જ કુરમુર-ચેચુ કરે ત્યાં જ તે માતાનો હાથ અનાયાસે બાળક ઉપર પડે તેવી સતત ભાવની દશાનું નામ ભક્તિ - ભજન.