Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય 10

વિભૂતિયોગ

સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ ।
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ॥૧૫॥

સ્વયમ્ એવ આત્મના આત્માનમ્ વેત્થ ત્વમ્ પુરુષોત્તમ

ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે

ત્વમ્ - આપ

એવ - જ

સ્વયમ્ - પોતે

આત્મના - પોતાની મેળે

આત્માનમ્ - પોતાને

વેત્થ - જાણો છો.

ભૂતભાવન - હે ભૂતોને ઉત્પન્ન કરનારા

ભૂતેશ - હે ભૂતોના ઈશ્વર

દેવદેવ - હે દેવોના દેવ

જગત્પતે - હે પુરુષોત્તમ

હે પુરુષોત્તમ ! હે ભૂતોને ઉત્પન્ન કરનારા ! હે ભૂતોના ઈશ્વર ! હે દેવોના દેવ ! હે જગતના સ્વામી ! આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો. (૧૫)

ભાવાર્થ:

માટે હે ભગવન્ ! આપના સ્વરૂપને યથાર્થ રીતે તો આપ એકલા જ જાણી શકો છો - જાણો છો. માનસ રામાયણમાં અયોધ્યાકાંડમાં મહર્ષિ વાલ્મીક આ વાતની સ્પષ્ટતા કરતા ભગવાન શ્રી રામને કહે છે કે,

રામ સરૂપ તુમ્હાર, બચન અગોચર બુદ્ધિ પર |

અવિગત અકથ અપાર નેતિ નેતિ નિત નિગમ કહ || (દોહા ૧૨૬)

ચો.

જગુપેખન તુમ્હ દેખનિહારે, વિધિહરિશંભુ નચાવ નિહારે

તેઉ ન જાનહી મરમુ તુમ્હારા, ઔર તુમ્હ હિ કો જાનનિહારા ||

સોઈ જાનહી જેહિ દેહુ જનાઈ, જાનત તુમ્હહિ તુમ્હઈ હોઈ જાઈ ||

તુમ્હરિહિ કૃપા તુમ્હહિ રઘુનંદન, જાનહી ભગત ભગત ઉરચન્દન ||

ચિદાનંદમય દેહ તુમ્હારી, વિગત વિકાર જાન અધિકારી ||

નરતનુ ધરેહુ સંત સુર કાજા, કરહુ કહહું જસ પ્રાકૃત રાજા ||

રામ દેખી સુની ચરિત તુમ્હારે, જડ મોહહિ બુધ હોહિ સુખારે ||

તુમ્હ જો કહહુ કરહુ સબુ સાચા, જસ કાછિઅ તસ ચાહીઅ નાચા ||

પૂછેઉ મોહિ કી રહૌં કહાઁ, મૈં પૂછત સકુચાઉં |

જહ ન હોહુ તહ દેહુ કહી, તુમ્હહિ દેખાવો ઠાઉ || (દોહા ૧૨૭)