Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન તવાર્જુન ।
વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્ ॥૪૨॥

અથવા બહુના એતેન કિમ્ જ્ઞાતેન તવ અર્જુન

વિષ્ટભ્ય અહમ્ ઈદમ્ કૃત્સ્નમ્ એકાંશેન સ્થિત: જગત્

ઈદમ્ - આ

કૃત્સ્નમ્ - સંપૂર્ણ

જગત્ - જગતને

અહમ્ - હું

એકાંશેન - એક અંશમાત્રથી

વિષ્ટભ્ય - ધારણ કરીને

સ્થિત: - રહ્યો છું.

અથવા - અથવા

અર્જુન - હે અર્જુન

એતેન - એ

બહુના - બહુ

જ્ઞાતેન - જાણવાથી

તવ - તને

કિમ્ - શું પ્રયોજન છે?

અથવા હે અર્જુન ! આ બહુ જાણવાથી તને શું (ફળ) છે? હું (મારા) એક અંશમાત્રથી આ સમગ્ર જગત ધારણ કરી રહેલો છું. (૪૨)

ભાવાર્થ:

જે જે પણ વિભૂતિયુક્ત અર્થાત ઐશ્વર્યયુક્ત તથા કાંતિયુક્ત તથા શકિતયુક્ત વસ્તુ - વ્યક્તિ - પદાર્થ - પ્રાણી છે તે બધાને મારા જ તેજના અંશથી ઉત્પન્ન થયેલા જાણ. જેણે આંખો બંધ રાખી છે તે માણસ સૂર્ય સામે ઉભો ઉભો સૂર્યને પૂછે છે કે હું તમને ક્યાં ક્યાં જોઈ શકું? સૂરજ એક જ જવાબ આપે કે તું જ્યાં જ્યાં પ્રકાશ દેખે ત્યાં ત્યાં હું જ છું - જો તું આંખ ઉઘાડીને જુએ તો.

આખું જગત મારો એક અંશ માત્ર જ છે. આખું જગત ઈશ્વર છે, પરંતુ આખો ઈશ્વર જગત નથી. આખો ઈશ્વર જગત હોય તો ઈશ્વર પણ સીમિત થઇ જાય. જગત સીમિત છે, જયારે ઈશ્વર અસીમ - અનંત છે. ઈશ્વર અનંત હોવાનો અર્થ એ છે કે આ જગત તેની એક અભિવ્યક્તિ છે. તેની બીજી અનેક અભિવ્યક્તિઓ હોઈ શકે - હોય છે અને હોવાની - હોતી રહેવાની.

ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે "વિભૂતિયોગો નામ દશમો અધ્યાયઃ |