Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરન્તપ ।
એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા ॥૪૦॥

ન અન્ત: અસ્તિ મમ દિવ્યાનામ્ વિભૂતીનામ્ પરન્તપ

એષ: તુ ઉદ્દેશતઃ પ્રોક્ત: વિભૂતે: વિસ્તર: મયા

તુ - તો

વિભૂતે: - વિભૂતિઓનો

વિસ્તર: - વિસ્તાર

મયા - મેં

ઉદ્દેશતઃ - ટૂંકમાં

પ્રોક્ત: - કહ્યો છે.

પરન્તપ - હે પરંતપ

મમ - મારી

દિવ્યાનામ્ - દિવ્ય

વિભૂતીનામ્ - વિભૂતિઓનો

અન્ત: - પાર

ન અસ્તિ - નથી

એષ: - આ

હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી; આ વિભૂતિનો વિસ્તાર તો મેં દ્રષ્ટાંતરૂપે કહ્યો છે. (૪૦)

ભાવાર્થ:

ઉપરોક્ત જે બધી વિભૂતિઓ ગણાવી તે તમામ માત્ર ઉદેશત: છે. Illustrative છે. Exhaustive list નથી. કારણ કે ખરેખર તો મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત જ નથી અને જેનો અંત આવે તે વિભૂતિ પણ ના કહેવાય અને દિવ્ય પણ ના કહેવાય. આરંભ અને અંત તો સંસારનો હોય. પરમાત્માની વિભૂતિઓ (Divineness, Divinity) નો આદિ અને અંત ના હોય. કારણ કે પરમાત્માનો પણ આરંભ અને અંત નથી. પરમાત્માની કોઈ વ્યાખ્યા પણ ના હોય. To define God is to defy God. પરમાત્માની વ્યાખ્યા ના થાય પરંતુ અનુભવ થાય. You cannot define the indefinite, undefinable, unfathomable.