Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

શ્રીભગવાનુવાચ ।
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે ।
શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ ॥ ૨॥

મયિ આવેશ્ય મન: યે મામ્ નિત્યયુક્તા: ઉપાસતે

શ્રદ્ધયા પરયા ઉપેતા: તે મે યુક્તતમા મતાઃ

શ્રી ભગવાન બોલ્યા:

શ્રદ્ધયા - શ્રદ્ધા વડે

ઉપેતા: - યુક્ત થઈને

મામ્ - મને

ઉપાસતે - ભજે છે.

તે - તેઓ

યુક્તતમા: - અતિઉત્તમ યોગીઓ

મે મતાઃ - મારા માનેલા છે.

મન: - મનને

મયિ - મારામાં

આવેશ્ય - એકાગ્ર કરીને

નિત્યયુક્તા: - નિત્યપરાયણ

યે - જે ભક્તો

પરયા - પરમ

જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઇ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે, તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. (૨)

ભાવાર્થ:

મય્યાવેશ્ય મનો યે મામ્ - મારામાં મનને એકાગ્ર કરીને, એકાગ્રતાનો અર્થ મારામાં પોતાના પ્રેમને સંપૂર્ણપણે ડુબાડી દઈને - રુંવેરુંવામાં મારી યાદ સતત રાખીને - જે ભક્તો નિત્ય, નિરંતર મારામાં યુક્ત થઈને મારી ઉપાસના કરે. ગીતામાં ભાવને આગળ આજ્ઞા કરી છે કે -

મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।

મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥ (ગીતા - ૯/3૪)

મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે ॥ (ગીતા - ૧૮/૬૫)

ગોપીઓને પ્રેમને લીધે રેતીના કણેકણમાં - પાણીના દરેક બિંદુમાં - ઝાડના દરેક પાંદડામાં કૃષ્ણ દેખાય. જેને માત્ર મંદિરમાં જ પરમાત્મા દેખાય તેને પરમાત્માના સંબંધમાં કાંઈ ખબર જ નથી.

કામી હિ નારી પિયારી જિમી, લોભીહિ જિમી પ્રિય દામ |

તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ ||

(માનસ - ઉત્તરકાંડ - દોહા - ૧૩૦ ખ)

પ્રેમ ના હોય તો કદાપિ એકાગ્રતા ના થાય. ઉલટાનું અનેકાગ્રતા અગર તો શૂન્યાગ્રતા થાય. પરંતુ એકાગ્રતા પ્રેમ વગર ના થાય.

પ્રેમ હોય તો એકાગ્રતાનો સવાલ જ ઉઠતો નથી. પ્રેમ હોય તો એકાગ્રતા સહજ રીતે ફલિત થાય છે.

જેનામાં પ્રેમ ના હોય તેને યાદ કરવો મુશ્કેલ છે.

જેનામાં પ્રેમ છે તેને ભૂલવો મુશ્કેલ છે.

શ્રદ્ધયા પરયા ઉપેતાઃ

અતિશય શ્રેષ્ઠ શ્રદ્ધાથી - તર્કથી નહીં - વાદવિવાદથી નહીં. It is not only my belief—it is my experience that speaks: God is. ઈશ્વર છે તેવું હું તર્કથી નથી માનતો - અનુભવથી જાણું છું કે ઈશ્વર છે - આનું નામ સાચી શ્રદ્ધા.

સાચો પ્રેમ હોય ત્યારે કહેવાની જરૂર ના પડે કે મને પ્રેમ છે - I Love you. પ્રેમ તો અનુભવમાં જ આવે - વાણીમાં નહીં. પ્રેમની સુગંધ અનુભવમાં આવે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ તર્કથી સિદ્ધ ના થાય. અને તર્કથી ખંડિત પણ ના થાય.

પ્રેમ અનુભૂતિનો વિષય છે - તર્કનો નહીં.

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20