Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિં નિવેશય ।
નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ ॥ ૮॥

મયિ એવ મન: આધત્સ્વ મયિ બુદ્ધિમ્ નિવેશય

નિવસિષ્યસિ મયિ એવ અત: ઊર્ધ્વમ્ ન સંશયઃ

માટે :-

અત: ઊર્ધ્વમ્ - એ પછી (એમ કરવાથી તું)

મયિ - મારામાં

એવ - જ

નિવસિષ્યસિ - વાસ પામીશ (એમાં)

સંશયઃ ન - સંશય નથી.

મન: - મનને

મયિ - મારામાં

એવ - જ

આધત્સ્વ - સ્થિર કર (અને)

બુદ્ધિમ્ - બુદ્ધિને

મયિ - મારામાં

નિવેશય - પરોવ

(માટે) તું મારામાં જ મન ધારણ કર અને મારામાં બુદ્ધિ પરોવ; એ પછી તું મારામાં જ રહીશ; (એમાં) સંશય નથી. (૮)

ભાવાર્થ :

માણસ તેની ચારેકોરની અસ્મિતા - અહંકારની દીવાલો તોડી નાખે તે જ ક્ષણે તે જ્યાં હોય ત્યાં જ તેને મુક્તિનો - ઉદ્ધારનો અનુભવ થાય. અહંકાર છૂટે ત્યાં જ તે સંપૂર્ણપણે સમર્પિત થઇ જાય અને સમર્પણે માનવી દેવ થઇ શકે.

જે દિવસે ભક્તની તત્પરતા - ઉત્સુકતા જાગે તે દિવસે ભગવાન ભક્તના હૃદયમાં બિરાજમાન થાય. એટલું જ નહીં ભક્ત પણ ભગવાનના હૃદયમાં બિરાજમાન થાય.

કબીરે કહ્યું કે પહેલા હું "હરિ ક્યાં છે, હરિ ક્યાં છે' એમ હરિને ખોળવા હું હરિની પાછળ દોડતો હતો. પરંતુ હવે ઉલટી સ્થિતિ થઇ છે. "હરિ લાગૈ પીછે ફીરે કહત કબીર કબીર." હવે હરિ પોતે "કબીર ક્યાં છે કબીર ક્યાં છે" એમ કહેતા મારી પાછળ ફરે છે. શબરી ભગવાનને ખોળવા અયોધ્યા નહોતી ગઈ. ભગવાન શબરીને ખોળતા ખોળતા શબરીને ઘેર નંગા - ઉઘાડા પગે ગયા હતા.

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20