Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે ।
શ્રદ્દધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ ॥ ૨૦॥

યે તુ ધર્મ્યામૃતમ્ ઈદમ્ યથા ઉક્તમ્ પરિઉપાસતે

શ્રદ્દધાના: મત્પરમા: ભક્તા: તે અતીવ મે પ્રિયાઃ

યથા ઉક્તમ્ - કહ્યા પ્રમાણે

પરિઉપાસતે - સેવન કરે છે.

તે - તેઓ

મે - મને

અતીવ - અતિશય

પ્રિયાઃ - પ્રિય (છે)

યે તુ - જે કોઈ

ભક્તા: - ભક્તો

શ્રદ્દધાના: - શ્રદ્ધાવાળા (અને)

મત્પરમા: - મમપરાયણ થઇ

ઈદમ્ - આ

ધર્મ્યામૃતમ્ - ધર્મમય અમૃતને

જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મમય અમૃતને તે પ્રમાણે સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. (૨૦)

ભાવાર્થ:

શ્લોક ૧૩ થી ૧૯ માં વર્ણન કરેલા લક્ષણોનું નિષ્કામભાવથી સેવન કરવાનું - કોઈ કામનાથી નહીં, મોક્ષની પણ કામના નહીં.

મારા પરાયણ (મત્પરા:) અને શ્રદ્ધાયુક્ત (શ્રદ્દધાના:) થઈને જે આ અમૃતાષ્ટકનું - ધર્મમય અમૃતનું (ધર્મ્યામૃત્તમ) જે નિષ્કામભાવથી સેવન કરે (પર્યુપાસતે) તે ભક્ત મને અત્યંત વહાલો છે.

ભક્તિનો અર્થ બુદ્ધિથી નહીં સમજાય - હૃદયથી, શ્રદ્ધાથી સમજાશે.

વિચારથી નહીં - ભાવથી સમજાશે.

ચિંતનથી નહીં - પ્રેમથી સમજાશે.

ભક્તિ પ્રાપ્ત કરવા આક્રમક (Aggressive) ચિત્ત નહીં - ગ્રાહક (Receptive) ચિત્ત જોઈએ. પુરુષ ચિત્ત નહીં - સ્ત્રૈણ ચિત્ત જોઈએ. પ્રેયસી ભાવથી - ગોપી ભાવથી ભક્તિ થાય.

ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગો નામ દ્વાદશો અધ્યાયઃ |

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20