શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

તસ્માદજ્ઞાનસમ્ભૂતં હૃત્સ્થં જ્ઞાનાસિનાત્મનઃ ।
છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ॥ ૪૨॥

તસ્માત્ અજ્ઞાનસમ્ભૂતમ્ હૃત્સ્થમ્ જ્ઞાનાસિના આત્મનઃ

છિત્વા એનમ્ સંશયમ્ યોગમ્ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત

એનમ્ - એ

આત્મનઃ - (તારા) ચિત્તના

સંશયમ્ - સંશયને

જ્ઞાનાસિના - જ્ઞાનરૂપ તલવાર વડે

છિત્વા - નાશ કરી

ઉત્તિષ્ઠ - ઉભો થા (યુદ્ધ કરવા તૈયાર થા)

તસ્માત્ - તે માટે

ભારત - હે અર્જુન (તું)

અજ્ઞાન સમ્ભૂતમ્ - અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા

હૃત્સ્થમ્ - હૃદયમાં રહેલા

યોગમ્ - સમબુદ્ધિરૂપ યોગમાં

આતિષ્ઠ - સ્થિર

માટે હે ભારત ! અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાથી જ્ઞાનરૂપ તલવાર વડે છેદી બ્રહ્માપર્ણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઉઠ, ઉભો થા. (૪૨)

ભાવાર્થ

કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે ત્રણ શરતો આ શ્લોકોમાં બતાવે છે.

૧. યોગ સન્યસ્ત કર્માણં

યોગ એટલે સમત્વબુદ્ધિરૂપી યોગ દ્વારા જેણે પોતાના સમસ્ત કર્મો ભગવદ્ અર્પણ કરી દીધા છે. એટલે કે પરમાત્માને સમર્પિત થઈને પોતના કર્મ કરે છે. સમર્પિત થવામાં અહંકાર બાધારૂપ છે. અહંકારનું સંપૂર્ણ વિસર્જન થઇ જાય ત્યારે સમર્પણ થઇ શકે.

યોગની બે વ્યાખ્યાઓ 'ગીતા'માં આપેલી છે:

૧, સમત્વં યોગ ઉચ્યતે (બુદ્ધિની સમતા) (ગીતા - ૨/૪૮)

૨. યોગ: કર્મસુ કૌશલમ (કર્મમાં કુશળતા) (ગીતા - ૨/૫૦)

આવા યોગ દ્વારા જેણે (સન્યસ્ત કર્માણં) પોતાના સમસ્ત કર્મો (નિષ્કામ કર્મો વડે) ભગવદ્દ પ્રીત્યર્થે રાગદ્વેષરહિત થઈને, સમષ્ટિના કલ્યાણ માટે, કર્તાપણાના અહંકાર સિવાય કરેલા છે તેને કોઈ કર્મ બંધનકર્તા થતું નથી.

૨. જ્ઞાનસંછિન્નસંશયમ્

એટલે કે જ્ઞાન વડે પોતાના અજ્ઞાનજનિત સંશયો દૂર કરીને પરમાત્માની અધ્યક્ષતામાં પરમાત્માની પ્રસન્નતા માટે જે પોતાના કર્તવ્ય કર્મો કરે છે તેને કર્મ બંધનકર્તા થતા નથી.

જ્ઞાની એટલે એવા ભાવવાળો જે -

યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ ।

(ગીતા ૬/૩૦)

સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।

(ગીતા - ૬/૨૯)

સર્વત્ર સમદર્શનઃ

(ગીતા - ૬/૨૯)

સર્વભૂતહિતે રતાઃ

(ગીતા - ૧૨/૪)

સર્વભૂતાત્મભૂતાત્મા

(ગીતા - ૫/૭)

૩. આત્મવન્તમ્

એટલે કે આત્માના બળથી યુક્ત થઈને, પ્રમાદ રહિત થઈને જે પોતાના કર્તવ્યકર્મો કરે છે તેને કર્મ બંધનકર્તા નથી.

કર્મ બંધનમાંથી નિવૃત્તિ માટેના અનેક શ્લોકો 'ગીતા'માં આપેલા છે જેમના થોડાક નમૂના રૂપે નીચે આપ્યા છે. જેનો ભાવાર્થ તે તે શ્લોકોમાં વાંચી જવા વિનંતી છે.

એષા તેઽભિહિતા સાઙ્ખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શ્રુણુ ।

બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ॥

(ગીતા - ૨/૩૯)

યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ ।

શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ ॥

(ગીતા - ૩/૩૧)

ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા ।

ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥

(ગીતા - ૪/૧૪)

યદૃચ્છાલાભસન્તુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ ।

સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥

(ગીતા - ૪/૨૨)

ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ ।

યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥

(ગીતા - ૪/૨૩)

જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ ।

નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે ॥

(ગીતા - ૫/૩)

યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ ।

સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે ॥

(ગીતા - ૫/૭)

યસ્ય નાહઙ્કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે ।

હત્વાઽપિ સ ઇમાઁલ્લોકાન્ન હન્તિ ન નિબધ્યતે ॥

(ગીતા - ૧૮/૧૭)

"ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાનકર્મ સંન્યાસ યોગો નામ ચતુઃર્થો અધ્યાયઃ॥”