શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ ।
કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ્ ॥ ૧૫॥

એવમ્ જ્ઞાત્વા કૃતમ્ કર્મ પૂર્વૈ: અપિ મુમુક્ષુભિઃ

કુરુ કર્મ એવ તસ્માત્ત્ ત્વમ્ પૂર્વૈઃ પૂર્વતરમ્ કૃતમ્

તસ્માત્ત્ - માટે

ત્વમ્ - તું (પણ)

પૂર્વૈઃ - પૂર્વજોએ

પૂર્વતરમ્ કૃતમ્ - પૂર્વે કરેલું

કર્મ - કર્મ

કુરુ એવ - કર જ

પૂર્વૈ: - પૂર્વના

મુમુક્ષુભિઃ - મુમુક્ષોએ

અપિ - પણ

એવમ્ - એમ

જ્ઞાત્વા - જાણીને (જ)

કર્મ - કર્મ

કૃતમ્ - કરેલું છે.

એ પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષુઓએ પણ કર્મ કરેલા છે; માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા તે પૂર્વ કર્મોને કર. (૧૫)

ભાવાર્થ

એવં જ્ઞાત્વા એટલે કે ફળની સ્પૃહાથી મુક્ત થઈને; કર્તા ભાવથી શૂન્ય થઈને, અહંકારથી બહાર જઈને, જનકાદિની માફક.

દુનિયામાં બે પ્રકારના અણસમજુ માણસો છે -

૧, ફલની આકાંક્ષા રાખશે અને તેથી જ કર્મ કરશે, જેવા કે ગૃહસ્થી.

૨, ફળની આકાંક્ષા છોડશે અને સાથે સાથે કર્મ પણ છોડશે, જેવા કે સંન્યાસી.

ભગવાન ત્રીજી વાત કહે છે જે ઘણી જ Arduous - સૂક્ષ્મ, રૂપાંતકારી, Transforming છે.

સંન્યાસી ફળની આકાંક્ષા છોડી દે અને સાથે સાથે કર્મ પણ છોડી દે તેમાં કોઈ મહત્તા નથી, કોઈ ખૂબી નથી. એ તો કોઈ પણ માણસ કરી શકે.

ગૃહસ્થી ફળની આકાંક્ષાથી કર્મ કરે તો તેમાં પણ કોઈ મહત્તા નથી. એ તો બધાય કરે જ છે. એમાં કોઈ વિશેષતા નથી. એ કોઈ સાધના નથી.

ભગવાન કહે છે કે તું કર્મ તો સતત કરતો જ રહે પરંતુ તું તે કર્મનો કર્તા મટી જા. તું ગૃહસ્થાશ્રમમાં રહીને સંન્યાસી બની જા. કર્મ કરવામાં ગૃહસ્થી અને ફળની આકાંક્ષા છોડવામાં સંન્યાસી થઇ જા. That is the right renunciation - આને જ સાચો ત્યાગ કહેવાય અને આવો ત્યાગ - renunciation ઘણાએ, જનકાદિક જેવાએ કરેલો છે.