જે આશરહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ પરિગ્રહો છોડી દીધા છે, તે શરીરમાત્રથી કર્મો કરે છે છતાં પાપથી લેપાતો નથી. (૨૧)
ભાવાર્થ
ખાતા, પીતા, ન્હાતા, ધોતા, ચાલતા, ફરતા દરેક કર્મમાં જ્ઞાનીની Total presence - સંપૂર્ણ હોશમાં મોજૂદગી હોય છે. મન બીજા કશામાં રખડતું નથી.
શરીર તો મિકેનિકલ છે, habitual છે. તેને અગિયાર વાગે જમવાની ટેવ પાડો તો તેને બરાબર અગિયાર વાગે જ ભૂખ લાગે.
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥
(ગીતા - ૬/૧૭)
ભૂખ લાગે તો જ ખાવું. ભૂખ મટે એટલું જ ખાવું.
શરીરના આવશ્યક કર્મોને હોશપૂર્વક, સાક્ષીભાવથી, સમ્યક રૂપથી નિપટાવે તે માણસ કર્મના બંધનમાં પડતો નથી. તે કર્મ કરતો હોવા છતાં મુક્ત છે.
અમીરો ધાર્મિક દિવસોએ ઉપવાસ કરે છે, કારણ કે બાકીના દિવસોમાં તેઓ ખૂબ ખાય છે - જયારે ગરીબો ધાર્મિક દિવસોમાં મિષ્ટાન્ન બનાવીને જમે છે કારણ કે આડે દહાડે તેઓ અર્ધભૂખ્યા રહે છે.
Extreme is bondage. અતિ બંધન છે, મધ્યમાં (equilibrium) મુક્તિ છે.