શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧૬॥

કિમ્ કર્મ કિમ્ અકર્મ ઈતિ કવય: અપિ અત્ર મોહિતાઃ

તત્ તે કર્મ પ્રવક્ષ્યામિ યત્ જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત્

તત્ - (માટે) તે

કર્મ - કર્મ (તત્ત્વ)

તે - તને

પ્રવક્ષ્યામિ - સ્પષ્ટ રીતે કહીશ.

યત્ - જે

જ્ઞાત્વા - જાણીને (તું)

અશુભાત્ - દુઃખરૂપ સંસારબંધનથી

મોક્ષ્યસે - છૂટશે.

કર્મ - કર્મ

કિમ્ - કયું (અને)

અકર્મ - અકર્મ

કિમ્ - કયું

ઈતિ અત્ર - એમ એ બાબતમાં

કવય: - બુદ્ધિમાન પુરુષો

અપિ - પણ

મોહિતાઃ - મૂંઝાયા છે;

કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે. તે કર્મ વિષે હવે હું તને કહીશ. તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ. (૧૬)