શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરં મનઃ ।
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ॥ ૪૨॥

ઇન્દ્રિયાણિ પરાણિ આહુ: ઈન્દ્રિયેભ્યઃ પરમ્ મનઃ

મનસ: તુ પરા બુદ્ધિ: ય: બુદ્ધેઃ પરત: તુ સઃ

મનસ: - મનથી

બુદ્ધિ: - બુદ્ધિ

પરા - શ્રેષ્ઠ (છે)

તુ - અને

ય: - જે

બુદ્ધેઃ - બુદ્ધિથી (પણ)

પરત: - અત્યંત પર છે

સઃ - તે આત્મા છે.

ઇન્દ્રિયાણિ - દેહથી ઇન્દ્રિયોને

પરાણિ - પર (શ્રેષ્ઠ અને સૂક્ષ્મ)

આહુ - કહે છે (અને)

ઈન્દ્રિયેભ્યઃ - ઇન્દ્રિયોથી

મનઃ - મન

પરમ્ - શ્રેષ્ઠ (છે)

તુ - અને

(શરીરથી) ઇન્દ્રિયોને પર કહે છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર (મહાન) છે તે આત્મા છે. (૪૨)