શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

સંજય ઉવાચ । સંજય બોલ્યો:
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥ ૨૪॥

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ ।
ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ॥ ૨૫॥

એવમ્ ઉક્ત: હૃષીકેશ: ગુડાકેશેન ભારત

સેનયો: ઉભયો: મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષામ્ ચ મહીક્ષિતામ્

ઉવાચ પાર્થ પશ્ય એતાન્ સમવેતાન્ કુરૂન્ ઈતિ

ચ - તથા

ભીષ્મદ્રોણપ્રમુખતઃ - ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે

રથોત્તમમ્ - ઉત્તમ રથને

સ્થાપયિત્વા - ઉભો રાખી

ઈતિ - આ પ્રમાણે

ઉવાચ - કહ્યું

પાર્થ - હે પાર્થ !

એતાન્ - આ

સમવેતાન્ - એકઠા થયેલા

કુરૂન્ - કૌરવોને

પશ્ય - જો

ભારત - હે ધૃતરાષ્ટ્ર !

ગુડાકેશેન - અર્જુને

એવમ્ - આ પ્રમાણે

ઉક્ત: - કહેતા

હૃષીકેશ: - ભગવાન શ્રીકૃષ્ણે

ઉભયો: - બંને

સેનયો: - સેનાઓની

મધ્યે - વચમાં

સર્વેષામ્ - સર્વ

મહીક્ષિતામ્ - રાજાઓની

હે ધૃતરાષ્ટ્ર ! એમ અર્જુને કહેલા શ્રી કૃષ્ણ તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે ઉભો રાખી બોલ્યા : હે પાર્થ ! આ એકઠા મળેલા કૌરવોને તું જો. (૨૪,૨૫)

ભાવાર્થ

સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે 'રથને બે સેનાઓ વચ્ચે ઉભો રાખવાનું અર્જુનના (ગુડાકેશેન) કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણે ભીષ્મ, દ્રોણ, અને બીજા રાજાઓની સામે સેનાની મધ્યમાં અર્જુનના ઉત્તમ રથને ઉભો રાખ્યો અને કહ્યું, "તું એકઠા થયેલા આ કૌરવોને જોઈ લે."

આ શ્લોકોમાં અર્જુનને માટે "ગુડાકેશ" એવું વિશેષણ વાપરેલું છે. ગુડાકાયા: ઈશ: ઇતિ ગુડાકેશ: એટલે કે નિદ્રા જેણે વશ કરેલી છે એવો, જેણે નિદ્રા - સુસ્તી - આળસ વગેરે દોષોને જીતી લીધા છે તે. શ્રીકૃષ્ણને હૃષિકેશ કહેવામાં આવ્યા છે. 'હૃષિક' એટલે કે ઇન્દ્રિયોનો જે ઈશ છે, સ્વામી છે તે હૃષિકેશ કહેવાય, જેને પોતાની ઇન્દ્રિયો સ્વાધીન છે, જે ઇન્દ્રિઓને આધીન થતો નથી. ઇન્દ્રિયો સ્વાધીન રાખવાથી જ ભગ + વાન અથવા ભાગ્યવાન બની શકાય છે.

અહીં કહેવાયું કે 'રથને બંને સેનાઓની મધ્યમાં ઉભો રાખ્યો ! અધ્યાત્મ પક્ષમાં રથ શરીર જ છે, જે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ, ખરાબ અને સારાની વચમાં સદા રાખવામાં આવે છે. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે કે -

આત્માનં રથિનં વિદ્ધિ, શરીરં રથમેવ તુ ।

બુદ્ધિં તુ સારથિં વિદ્ધિ, મનઃ પ્રગ્રહમેવ ચ ॥

ઇન્દ્રિયાણિ હયાન્ આહુઃ, વિષયાંસ્તેષુ ગોચરાન્ ।

(કઠોપનિષદ - ૩-૩-૪)

'