Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


યેઽપ્યન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેઽપિ મામેવ કૌન્તેય યજન્ત્યવિધિપૂર્વકમ્ ॥ ૨૩॥

યે અપિ અન્યદેવતા: ભક્તા: યજન્તે શ્રદ્ધયા અન્વિતાઃ

તે અપિ મામ્ એવ કૌન્તેય યજન્તિ અવિધિપૂર્વકમ્

યજન્તે - પૂજે છે

તે - તેઓ

અપિ - પણ

અવિધિપૂર્વકમ્ - અજ્ઞાનપૂર્વક

મામ્ - મને જ

યજન્તિ - પૂજે છે.

કૌન્તેય - હે અર્જુન !

યે અપિ - જે કોઈ

ભક્તા: - (સકામી) ભક્તો

શ્રદ્ધયા અન્વિતાઃ - શ્રદ્ધાવાળા થઈને

અન્યદેવતા: - બીજા દેવતાઓને

હે કુંતીપુત્ર ! જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઇ બીજા દેવતાઓને પૂજે છે, તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે. (૨૩)

ભાવાર્થ:

વેદશાસ્ત્રોમાં જે જે દેવતાઓનું વર્ણન આવે છે તે તમામ દેવતાઓ આખરે તો પરમાત્માના જ અંગભૂત છે અને પરમાત્મા જ આ તમામ દેવતાઓના સ્વામી છે - અને ખરેખર તો પરમાત્મા પોતે જ તે તે દેવતાઓના રૂપમાં પ્રગટ છે. આ હકીકત માણસો બરાબર સમજતા નથી. અને તેથી તેઓ જુદા જુદા દેવતાઓને (અન્ય દેવતા:) પરમાત્માથી ભિન્ન સમજીને સકામભાવથી સ્વર્ગાદિ ઇન્દ્રિયજન્ય સાંસારિક સુખોની પ્રાપ્તિ માટે અને ભૌક્તિક કામનાઓની સિદ્ધિ માટે તે તે અન્ય દેવતાઓની પૂજાનું શાસ્ત્રોમાં વિધાન હોય તે પ્રમાણે શાસ્ત્રોક્ત યજ્ઞાદિ કર્મો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન કરે તો પણ તેમનું પૂજન "અવિધિપૂર્વકમ" એટલે કે અજ્ઞાનપૂર્વક છે, કારણ કે તમામ દેવતાઓ મારા જ અંગભૂત હોવાથી તેઓ સાચા અર્થમાં તો : "મામેવ યજન્તિ" મારુ જ પૂજન કરી રહ્યા હોય છે.

આકાશાત્ પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ્ |

સર્વદેવ નમસ્કાર: કેશવં પ્રતિ ગચ્છતિ ||

કપાળમાં જ માત્ર ચાંલ્લો કરો તો પણ આખા શરીરનું પૂજન કર્યું ગણાય.

કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ ।

તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ॥ ગીતા - ૭/૨૦॥

યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ ।

તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ ગીતા - ૭/૨૧॥

સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે ।

લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ ગીતા - ૭/૨૨॥

અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ ।

દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ ॥ ગીતા - ૭/૨૩॥

ઉપરોક્ત સાતમા અઘ્યાયનાં શ્લોકોમાં બીજા દેવોની ભક્તિનો નિષેધ નથી, પરંતુ તેનું ગૌરવ વધાર્યું છે, છતાં પણ આડકતરી રીતે તેમ રહેલો થોડો દોષ પણ બતાવ્યો છે.

કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ ।

ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા ॥ ગીતા - ૪/૧૨॥

અન્ય દેવોની ભક્તિના સંસ્કાર ચિત્ત પર પડે છે તે પરમાત્માની ભક્તિ તરફ લઇ જવામાં સહાયક થાય છે - એટલો ફાયદો જરૂર થાય, પરંતુ ધીરે ધીરે અન્ય દેવોની ભક્તિ છોડીને આખરે તો વ્યાપક પરમાત્માનું જ શરણ લેવું મુખ્ય લક્ષ્ય છે. છેક સુધી માત્ર વાસનાઓ અને કામનાઓની તૃપ્તિ માટે જ ફક્ત બીજા બીજા દેવોની પાછળ પાછળ ભમ્યા કરવું તે બરાબર નથી.

તદ્દન નિષ્કામ ભાવથી કાંઈ પણ અપેક્ષા કે માંગણી વગર પરમાત્માની સન્મુખ થવું જોઈએ. સૂર્યની સામે હાથ જોડીને ઉભો ઉભો પ્રાર્થના કરે કે "હે સૂર્યનારાયણ મને પ્રકાશ આપો" તો સમજવું કે તે માણસ આંધળો હોવો જોઈએ, નહીં તો પ્રકાશ માંગવાની જરુરીયાત જ નથી.

બીજા બીજા દેવોની ઉપાસનામાં વાસનાની ગંધ છે. અત્યંત વાસનાંરહિત ઉપાસનાથી પ્રભુ પ્રાપ્ત થાય છે - બીજા દેવોની ઉપાસના - પૂજા (Rituals) છે, ક્રિયાકાંડ છે. જયારે પરમાત્માની પૂજા તો માત્ર તેના સાંનિધ્યની સતત અનુભૂતિમાં જ છે, તેમાં બીજી કોઈ વિધિની જરૂરિયાત રહેતી નથી. તેમાં બીજી વિધિઓ તો માત્ર ધોખાબાજી જ છે અને તેથી તે 'અવિધિપૂર્વકમ' એટલે કે અજ્ઞાનજનિત છે.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34