Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્રગો મહાન્ ।
તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય ॥ ૬॥

યથા આકાશસ્થિત: નિત્યમ્ વાયુઃ સર્વત્રગ: મહાન્ ।

તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનિ ઇતિ ઉપધારય ॥ ૬॥

કેમ કે,

તથા - તેમ જ

સર્વાણિ - સઘળા

ભૂતાનિ - પ્રાણીઓ

મત્સ્થાનિ - મારામાં (અલિપ્ત રહેલા છે)

ઇતિ - એમ (તું)

ઉપધારય - જાણ

યથા - જેમ

સર્વત્રગ: - સઘળે ફરનારો

મહાન્ - મહાન

વાયુઃ - વાયુ

નિત્યમ્ - નિત્ય

આકાશસ્થિત: - આકાશમાં સ્થિત રહેલો છે.

જેમ બધે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં હંમેશ રહેલો છે તેમ સર્વ ભૂતોને તું મારામાં રહેલા જાણ. (૬)

ભાવાર્થ

આકાશ અત્યંત વ્યાપક છે. વાયુ ઉપરાંત આખું બ્રહ્માંડ તેમાં સ્થિત છે. આકાશ જેવા તો અનંતકોટી આકાશ બ્રહ્મની વખારમાં ગોટો થઈને પડ્યા છે. માટે બ્રહ્મ તો Total/absolute expansion છે. છતાં જેવી રીતે વાયુ ગરમ થાય - ભીંજાય - સુકાય છતાં આકાશ કદાપિ ગરમ થતું નથી. - ભીંજાતું નથી. તેવી રીતે અનંત કોટી બ્રહ્માંડો સર્જાય - નષ્ટ થાય અગર ફેરફાર થાય તો પણ બ્રહ્મને તેની કાંઈ અસર થતી નથી. બ્રહ્મ નિર્લેપ છે.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34