Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ ।
કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ ॥ ૩૧॥

ક્ષિપ્રમ્ ભવતિ ધર્માત્મા શશ્વત્ શાન્તિમ્ નિગચ્છતિ

કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ

તેથી તે પુરુષ :

નિગચ્છતિ - પામે છે;

કૌન્તેય - હે અર્જુન (તું વિષયવિકારોથી)

પ્રતિ-જાનીહિ - નિશ્વય પૂર્વક જાણ (કે)

મે ભક્તઃ - મારો ભક્ત

ન પ્રણશ્યતિ - નાશ પામતો નથી.

ક્ષિપ્રમ્ - જલ્દી

ધર્માત્મા - ધર્માત્મા

ભવતિ - થાય છે (અને)

શશ્વત્ - નિરંતર (રહેવાવાળી)

શાન્તિમ્ - શાંતિને

તે જલ્દી ધર્માત્મા થાય છે અને શાશ્વત શાંતિ પામે છે; હે કુંતીપુત્ર ! તું નિશ્વય જાણ કે 'મારો ભક્ત નાશ પામતો નથી' (૩૧)

ભાવાર્થ:

ચેતનાની ધારા સંસાર તરફથી પાછી વાળીને પરમાત્માની સન્મુખ વહેવા લાગે અને તે પણ ઘેરા નિર્ણયપૂર્વક તો પાપીને પણ પાવન થતા વાર ના લાગે - ગટરનું પાણી ગંગાજીમાં ભળી જાય તો તે આચમનને યોગ્ય થઇ જાય.

ભગવાન કહે છે -

સન્મુખ હોઈ જીવ મોહી જબહી | જન્મ કોટિ અઘ નાસહિ તબહી ||

મમ દર્શન ફળ પરમ અનૂપા | જીવ પાવ નિજ સહજ સરૂપા || (માનસ)

અનેક જન્મોનો અંધકાર પણ એક જ ક્ષણે સૂર્યની સન્મુખ થાય તો તે અંધકાર (ક્ષિપ્રં) તાત્કાલિક નષ્ટ થઇ જાય. પરમાત્મા પ્રત્યેની એક અનન્ય ધારા - એક અનન્ય ભાવ પરમાત્મા તરફ વહેવા લાગે તે જ ક્ષણે તેને જગતનાં તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ - વ્યક્તિમાં પરમાત્માની ઝાંખી થાય, પછી તે કોઈની સાથે દુરાચાર કરી શકે જ નહીં.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34