Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


અશ્રદ્દધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરન્તપ ।
અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુસંસારવર્ત્મનિ ॥ ૩॥

અશ્રદ્દધાનાઃ પુરુષા: ધર્મસ્ય અસ્ય પરન્તપ

અપ્રાપ્ય મામ્ નિવર્તન્તે મૃત્યુસંસારવર્ત્મનિ

પુરુષ - પુરુષો

મામ્ - મને

અપ્રાપ્ય - ન ભજવાથી

મૃત્યુસંસારવર્ત્મનિ - જન્મ મરણરૂપ સંસારમાર્ગમાં

નિવર્તન્તે - ભટકે છે.

પરંતપ - હે પરંતપ

અસ્ય - આ (ભગવાનના તત્ત્વજ્ઞાન રૂપ)

ધર્મસ્ય - ધર્મના (સ્વરૂપ સાધન અને ફળમાં)

અશ્રદ્દધાનાઃ - શ્રદ્ધા નહીં રાખનારા

હે શત્રુને તપાવનાર ! આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. (૩)

ભાવાર્થ:

શ્રદ્ધાયુક્ત હૃદય - Trusting heart. શ્રદ્ધાનો અર્થ છે - એક ઘેરું અપનાપણું - એક ભરોસો - એક આત્મીયતા, અજ્ઞાત પ્રત્યે અજાણ્યા પ્રત્યે પણ ભરોસાનો ભાવ. એરોપ્લેનનાં પાઇલોટને જોયો નથી, ઓળખતા નથી. છતાં મધ્ય દરિયે પચાસ હજાર ફૂટની ઊંચાઈએ, આઠસો માઈલની ઝડપે માત્ર તેના ભરોસે ઉડવાનું. શ્રદ્ધા અત્યંત અસંભવ ઘટના છે. શ્રદ્ધા એક એવું ફૂલ છે જે ક્યારેક કરોડોમાં કોકને જ કોકવાર ખીલે છે પરંતુ તે જયારે ખીલે છે ત્યારે તેના અનંત દ્વાર ખુલી જાય છે.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34