Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત ।
સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરન્તપ ॥ ૨૭॥

ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત

સર્વભૂતાનિ સમ્મોહમ્ સર્ગે યાન્તિ પરન્તપ

ઇચ્છાદ્વેષસમુત્થેન - ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા

દ્વન્દ્વમોહેન - સુખદુઃખાદિ દ્વંદ્વરૂપ મોહ વડે

સમ્મોહમ્ - અત્યંત વ્યાકુળતાને

યાન્તિ - પામે છે.

ભારત - હે ભરતવંશી

પરન્તપ - અર્જુન !

સર્વભૂતાનિ - સઘળા પ્રાણીઓ

સર્ગે - જન્મકાળે સંસારમાં

હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ! ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા (રાગદ્વેષાદિ) જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. (૨૭)