Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥ ૧૮॥

ઉદારાઃ સર્વ એવ એતે જ્ઞાની તુ આત્મા એવ મે મતમ્

આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામ્ એવ અનુત્તમામ્ ગતિમ્

હિ - કેમ કે

યુક્તાત્મા - સ્થિર બુદ્ધિવાળો

સ: - તે (જ્ઞાની ભક્ત)

અનુત્તમામ્ - અતિ ઉત્તમ

ગતિમ્ - ગતિ સ્વરૂપ

મામ્ - મારામાં

એવ - જ

આસ્થિતઃ - સારી રીતે સ્થિત થયેલો (છે).

એતે - એ

સર્વે - સઘળા (ભક્તો)

ઉદારાઃ - ઊંચી કોટિના

એવ - જ (છે)

તુ - પણ

જ્ઞાની - જ્ઞાની (તો) સાક્ષાત

આત્મા - મારુ સ્વરૂપ

એવ - જ છે (એવો)

મે - મારો

મતમ્ - મત (છે);

એ બધાય ઉત્તમ છે; પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે; કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઇ, સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે. (૧૮)