Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના ।
પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્ ॥ ૮॥

અભ્યાસયોગયુક્તેન ચેતસા ન અન્યગામિના

પરમમ્ પુરુષમ્ દિવ્યમ્ યાતિ પાર્થ અનુચિન્તયન્

અનુચિન્તયન્ - હંમેશા ચિંતન કરનારો પુરુષ

પરમમ્ - પરમ

દિવ્યમ્ - દિવ્ય

પુરુષમ્ - પુરુષને (પરમાત્માને)

યાતિ - પામે છે.

પાર્થ - હે પાર્થ !

અભ્યાસયોગયુક્તેન - નિરંતર પ્રભુચિંતનરૂપ યોગથી યુક્ત

ન અન્યગામિના - બીજા કશામાં નહિ જનારા

ચેતસા - ચિત્ત વડે

હે કુંતીપુત્ર ! અભ્યાસયોગથી યુક્ત અને બીજે નહિ જનારા ચિત્ત વડે ચિંતન કરતો (મનુષ્ય) પરમ દિવ્ય પુરુષ - પરબ્રહ્મને પામે છે. (૮)

ભાવાર્થ :

ઉપર જણાવ્યા મુજબનાં અભ્યાસથી - (અભ્યાસયોગ યુક્તેન) અને (ચેતસ ન અન્ય ગામિના) બીજા કશામાં નહિ જનાર ચિત્ત વડે નિરંતર પ્રભુચિંતન કરવાનું, કારણ કે કોઈ અન્ય પરમાત્મા તો છે જ નહીં. પરમાત્મા તો એક જ છે. There is no God except the God. માટે "ચેતસા ન અન્ય ગામિના" અનન્ય ભાવથી મારી તરફ - અન્યની તરફ નહીં - પછી મને રામ કહો કે રહીમ કહો, કૃષ્ણ કહો કે કરીમ કહો - ગમે તે નામથી પોકારો, પરંતુ તે બધું મારી તરફ જ સમજો. પરમાત્મા તો એક જ છે. - સ્વરૂપો અનેક છે, આખું જગત તેનું જ સ્વરૂપ છે.

જુદા જુદા રૂપોમાં જુદા જુદા પરમાત્માને જોવાની ચેષ્ટા એ મનનું દંગલ છે, તર્કટ છે, ચાલાકી છે, કારણ કે મનને નવું નવું જોવાની બદલવાની આદત છે.