Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

પરસ્તસ્માત્તુ ભાવોઽન્યોઽવ્યક્તોઽવ્યક્તાત્સનાતનઃ ।
યઃ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ ॥ ૨૦॥

પર: તસ્માત્ તુ ભાવ: અન્ય: અવ્યક્ત: અવ્યક્તાત્ સનાતનઃ

યઃ સ: સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ

ભાવ: - સ્વરૂપ (છે)

સ: - તે (પરમાત્મા)

સર્વેષુ - સઘળા

ભૂતેષુ - પ્રાણીઓ

નશ્યત્સુ - નાશ પામતા પણ

ન વિનશ્યતિ - નાશ પામતો નથી

તુ - પરંતુ

તસ્માત્ - તે

અવ્યક્તાત્ - અવ્યક્ત બ્રહ્માથી પણ

પર: - અતિ શ્રેષ્ઠ

અન્ય: - બીજું (વિલક્ષણ)

યઃ - જે

પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે, તે સર્વ ભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. (૨૦)

ભાવાર્થ:

શ્લોક ૧૮ - ૨૦ માં જેને અવ્યક્ત (unmanifested) કહે છે તે પણ પૂરેપૂરું અવ્યક્ત નથી. વૃક્ષ વ્યક્ત છે અને બીજ અવ્યક્ત છે પરંતુ બીજ પણ પૂરેપૂરું અવ્યક્ત નથી તે પણ એક વખત વ્યક્ત હતું. બીજ પણ વ્યક્ત થવા આતુર હોય છે. (Built-in) એક બીજ તેના જેવા બીજા અસંખ્ય બીજ ઉત્પન્ન કરવા આતુર હોય છે. જે અવ્યક્તમાં વ્યક્ત છુપાયેલું હોય તે સંપૂર્ણ અવ્યક્ત ના કહેવાય. આવા અવ્યક્તની પેલી પાર (beyond this unmanifested) એક સંપૂર્ણ અવ્યક્ત છે જે વિલક્ષણ સનાતન અવ્યક્ત છે તે બ્રહ્મ છે, જે eternally unmanifested છે આ ultimate અવ્યક્ત કદાપિ વ્યક્ત થતું નથી - થવાનું નથી - થઇ શકે તેમ નથી. આ પરમ અવ્યક્તનું કદાપિ સૃજન થયું નથી તેથી તેનું વિસર્જન પણ નથી - તેની સૃષ્ટિ પણ નથી અને પ્રલય પણ નથી. તમામ ભૂતો (becomings) નષ્ટ થવા છતાં તે નષ્ટ થતું નથી.

આપણા શરીરમાં પણ ત્રણ પાર્ટ છે. એક વ્યક્ત સ્થૂળ શરીર - બીજું અવ્યક્ત મન (સૂક્ષ્મ - કારણ શરીર) અને ત્રીજું વિલક્ષણ સનાતન અવ્યક્ત આત્મા. મનમાં (અવ્યક્તમાં) જે કાંઈ છે તે આજે નહીં તો કાલે પણ વ્યક્ત થવાનું અને આ અવ્યક્ત મનને લીધે જ વ્યક્ત શરીર પેદા થાય છે.