Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ ।
તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ ॥ ૧૪॥

અનન્યચેતાઃ સતતમ્ ય: માં સ્મરતિ નિત્યશઃ

તસ્ય અહમ્ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ

વળી:

સ્મરતિ - સ્મરણ કરે છે.

નિત્યયુક્તસ્ય - મારામાં નિરંતર યુક્ત થયેલા

યોગિનઃ - યોગીને

અહમ્ - હું

સુલભઃ - સુલભ છું (સહજ પ્રાપ્ત થાઉં છું)

પાર્થ - હે અર્જુન !

ય: - જે (પુરુષ)

અનન્યચેતાઃ - એકચિત્તે

નિત્યશઃ - સદા (જીવતા સુધી)

સતતમ્ - નિરંતર

મામ્ - મારુ (જ)

તસ્ય - તે

હે અર્જુન ! જે નિરંતર બીજામાં ચિત્ત નહિ રાખતા નિત્ય મારુ સ્મરણ કરે છે, તે નિત્યયુક્ત યોગીને હું સુલભ છું. (૧૪)

ભાવાર્થ:

આ શ્લોકમાં મામ્ શબ્દ સગુણ બ્રહ્મવાચક છે.

નિત્યયુક્ત યોગીને - એટલે કે સન્મુખને - પરમાત્મા સુલભ

અયુક્ત અયોગીને - એટલે કે વિમુખને - પરમાત્મા દુર્લભ

અનન્યચેતા: - એટલે જેનું ચિત્ત - મન જે કાંઈ ચિંતન, મનન અગર કર્મ કરે તે પરમાત્માને લક્ષ્યમાં રાખીને પરમાત્મા પ્રીત્યર્થે કરે તે.