Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

પારાશર્ય વચઃ સરોજમમલં ગીતાર્થગંધોત્કટં
નાનાખ્યાનકકેસરં હરિકથા સંબોધનાબોધિતમ્
લોકે સજ્જનષટ્પદૈરહરહઃ પેપીયમાનં મુદા
ભૂયાદ્ ભારતપંકજં કલિમલપ્રધ્વંસિ નઃ શ્રેયસે ॥૭॥

પારાશર્ય-વચઃ-સરોજમ્ અમલમ્ ગીતાર્થ-ગંધોત્કટમ્

નાનાખ્યાનક-કેસરમ્ હરિકથા-સંબોધનાબોધિતમ્

લોકે સજ્જન-ષટ્પદૈ: અહરહઃ પેપીયમાનમ્ મુદા

ભૂયાત્ ભારતપંકજમ્ કલિમલ-પ્રધ્વંસિ ન: શ્રેયસે

સજ્જન-ષટ્પદૈ: - સજ્જનોરૂપી ભ્રમરો વડે

અહરહઃ - દરરોજ

મુદા - આનંદપૂર્વક

પેપીયમાનમ્ - પાન કરાતું

કલિમલ-પ્રધ્વંસિ - કળિયુગના પાપોનો નાશ કરનારું

ભારતપંકજમ્ - મહાભારતરૂપ કમળ

ન: - અમારા

શ્રેયસે - કલ્યાણ માટે

ભૂયાત્ - હો !

પારાશર્ય-વચઃ-સરોજમ્ - વ્યાસ ભગવાનની વાણીરૂપ સરોવરમાં જન્મેલું

અમલમ્ - નિર્મળ

ગીતાર્થ-ગંધોત્કટમ્ - ગીતાના અર્થરૂપ ઉત્કટ સુગંધરૂપ

નાનાખ્યાનક-કેસરમ્ - વિવિધ આખ્યાનરૂપ કેસરોવાળું

હરિકથા-સંબોધનાબોધિતમ્ - ભગવાનની કથા અને ઉપદેશથી પૂર્ણ ખીલેલું

લોકે - લોકમાં

ગીતાના અર્થરૂપ ઉત્કટ સુગંધવાળું, અનેક આખ્યાનોરૂપી કેસરવાળું, હરિકથાના ઉપદેશ વડે પ્રફુલ્લ થયેલું, લોકમાં સજ્જનરૂપી ભમરાઓ વડે નિરંતર આનંદથી પીવાતું, કળિકાળના પાપનો નાશ કરનારું અને પરાશરના પુત્ર શ્રીવ્યાસ મુનિના વચનરૂપી વિશાળ સરોવરમાં ઉગેલું મહાભારતરૂપી નિર્મળ કમળ અમારા કલ્યાણ માટે થાઓ. (૭)

1

2

3

4

5

6

7

8

9