Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

ભીષ્મદ્રોણતટા જયદ્રથજલા ગાંધારનીલોત્પલા
શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા
અશ્વત્થામવિકર્ણઘોરમકરા દુર્યોધનાવર્તિની
સોત્તીર્ણા ખલુ પાંડવૈ રણનદી કૈવર્તકઃ કેશવઃ ||૬||

ભીષ્મદ્રોણતટા જયદ્રથજલા ગાંધારનીલોત્પલા

શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા

અશ્વત્થામવિકર્ણઘોરમકરા દુર્યોધનાવર્તિની

સા ઉત્તીર્ણા ખલુ પાંડવૈ: રણનદી કૈવર્તકઃ કેશવઃ

અશ્વત્તામવિકર્ણઘોરમકરા - અશ્વત્થામા અને વિકર્ણરૂપી ભયંકર મગરમચ્છોવાળી, (અને)

દુર્યોધનાવર્તિની - દુર્યોધનરૂપી ભમરીઓવાળી

રણનદી - (જે) યુદ્ધરૂપી નદી

સા - તેને

પાંડવૈ - પાંડવો

ઉત્તીર્ણા - તરી ગયા

ખલુ - કારણ કે

કેશવઃ - શ્રીકૃષ્ણ

કૈવર્તકઃ - સુકાની (સહાયક) (હતા)

ભીષ્મદ્રોણતટા - ભીષ્મ અને દ્રોણરૂપી કિનારાવાળી

જયદ્રથજલા - જયદ્રથરૂપી જળવાળી

ગાંધારનીલોત્પલા - શકુનીરૂપી કાળા પથ્થરવાળી

શલ્યગ્રાહવતી - શલ્ય રાજારૂપી ઝૂડવાળી

કૃપેણ વહની - કૃપાચાર્યરૂપી પ્રવાહવાળી

કર્ણેન - કર્ણરૂપી

વેલાકુલા - મોજાથી આકુળ

ભીષ્મ અને દ્રોણરૂપી કિનારાઓવાળી, જયદ્રથરૂપી જળવાળી, શકુનીરૂપી કાળા પથ્થરવાળી, શલ્યરૂપી ઝૂડવાળી, કૃપાચાર્યરૂપી પ્રવાહવાળી, કર્ણરૂપી મોજાવાળી, અશ્વત્થામા અને વિકર્ણરૂપી ભયાનક મગરમચ્છવાળી અને દુર્યોધનરૂપી ભમરીવાળી તે યુદ્ધરૂપી નદીને પાંડવો તરી ગયા, તેનું કારણ શ્રીકૃષ્ણ સુકાની હતા. (૬)

1

2

3

4

5

6

7

8

9