Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

ૐ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયમ્।
વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ્॥

અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમષ્ટાદશાધ્યાયિનીમ્।
અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ્॥ ૧ ॥

ૐ પાર્થાય પ્રતિબોધિતામ્ ભગવતા નારાયણેન સ્વયમ્

વ્યાસેન ગ્રથિતામ્ પુરાણમુનિના મધ્યે મહાભારતમ્

અદ્વૈતામૃતવર્ષિણીમ્ ભગવતીમ્ અષ્ટાદશાધ્યાયિનીમ્

અંબ ત્વામ્ અનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ્

ગ્રથિતામ્ - ગૂંથેલી

અદ્વૈતામૃતવર્ષિણીમ્ - અદ્વૈત જ્ઞાનરૂપી અમૃતને વર્ષાવનારી

અષ્ટાદશાધ્યાયિનીમ્ - અઢાર અધ્યાયવાળી

ભવદ્વેષિણીમ્ - સંસારને ટાળનારી

ભગવતીમ્ - છ ઐશ્વર્યયુક્ત

ત્વામ્ - તારું (હું)

અનુસંદધામિ - ધ્યાન ધરું છું

અમ્બ - હે માતા

ભગવદ્ ગીતે - ભગવદ્દગીતા !

ભગવતા - ભગવાન

નારાયણેન - નારાયણે

પાર્થાય - અર્જુનને

સ્વયમ્ - પોતે (જ)

પ્રતિબોધિતામ્ - ઉપદેશેલી

પુરાણમુનિના વ્યાસેન - પ્રાચીન મહામુનિ શ્રી વેદવ્યાસજીએ

મહાભારતમ્ મધ્યે - મહાભારતમાં

ૐ ભગવાન નારાયણે પોતે અર્જુનને ઉપદેશેલી, પ્રાચીન મહામુનિ શ્રી વેદવ્યાસજીએ મહાભારત મધ્યે ગૂંથેલી, અદ્વૈત જ્ઞાનામૃતને વરસાવનારી, અઢાર અધ્યાયવાળી અને સંસાર ઉપરથી મોહ - મમતા ટાળનારી એવી હે ભગવતી ભગવદ્દગીતે ! હે અંબા ! (હે માતા !) હું તમારું ધ્યાન ધરું છું. (૧)

1

2

3

4

5

6

7

8

9